Thursday 27 October 2016

દીવાળી પર્વ

દીવાળી પર્વ

દિવાળીનો પાંચ દિવસનો ઉત્સવ "પ્રકાશના પર્વ" તરીકે જાણીતો છે, દિવસો માં તેલના દીવા કરવાનો રીવાજ છે. ઉત્સવ  અશ્વિન મહિનાના વદ પખવાડિયાના તેરમાં દિવસથી શરૂ થાય છે અને કાતરક મહિનાના સુદ પખવાડિયાના બીજા દિવસે પૂરો થાય છે.
ઉત્સવ  ભારતમાં દિવાળી, અને નેપાળમાં દિપાવલી નામથી ઓળખવામાં આવે છે. દિપાવલી -દિપઆવલી નો અર્થ થાય છે દીવડાઓની હારમાળા (સંસ્કૃત માં દિપ= દીવડો અને આવલી= હારમાળા).
ઉત્સવમાં દરેક દિવસનું વિશેષ મહત્વ છે, દરેક દિવસ અલગ અલગ નામે અને રીતે મનાવવામાં આવેછે.
તેરશ - ધન તેરશ
ચૌદશ - કાળી ચૌદશ
અમાસ - દિવાળી 
એકમ - નવું વર્ષ
બીજ - ભાઈ બીજ    
દરેક તહેવારની જેમ તહેવારની પણ પૌરાણિક કથા છે.
ભારત અને નેપાળના ઘણા વિસ્તારોમાં હિન્દુ માન્યતા અનુસાર ચૌદ વર્ષના વનવાસ બાદ રામના આગમન અને રાવણ પરના તેમના વિજયની ઉજવણીનું પર્વ છે.

પછી દરરોજ આવો જાણીએ પાંચ દિવસીય જગમગાતા તહેવારની વિશેષતાઓ.

No comments:

Post a Comment