Sunday 30 October 2016

દિવાળી


દિવાળી
આસો વદ અમાસએટલે દિવાળી, વિક્રમસંવતનોઅંતિમદિવસ.દિવાળીનાશુભ દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ કે ઘરસજાવવા માટે શુભ અને દિવાળી પૂજાના પ્રતિક કયા છે.



દીપક -દિવાળીનીપૂજામાં ફક્ત માટીના દિવાનું મહત્વ છે.જેમા પાંચ તત્વ છે. માટી, આકાશ, જળ, અગ્નિ અને વાયુ, દરેક હિન્દુપૂજામાં પંચતત્વોની આ પાંચ તત્વોની હાજરી અનિવાર્ય હોય છે.
રંગોળી -ઉત્સવપર્વ અને અનેક માંગલિક પ્રસંગોમાં રંગોળી ઘર આંગણેકેઘરની વચ્ચે અને દરવાજાની સામે રંગોળી બનાવવામાં આવે છે.આ સજાવટ જ સમૃદ્ધિના દ્વારા ખોલે છે.
કૌડી -પીળારંગની કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. દિવાળીના દિવસેચાંદી અને તાંબાના સિક્કાની સાથે જ કૌડીની પૂજા પણ મહત્વની માનવામાં આવેછે. પૂજન થયા પછી એક એક પીળી કૌડીને જુદા જુદા લાલ કપડામાં બાંધીને ઘરમાઆવેલ તિજોરીમાં અને ખિસ્સામાંરાખવાથી ધન સમૃદ્ધિ વધે છે.
તાંબાના સિક્કા -તાંબાનાસિક્કામાં સાત્વિક લહેરો ઉત્પન્ન કરવાની ક્ષમતા અન્ય ધાતુઓની અપેક્ષા વધુહોય છે. કળશમાં ઉઠતી લહેરો વાતાવરણમાં પ્રવેશ કરે છે. જો કળશમાં તાંબાનાપૈસા નાખવામાં આવે તો તેનાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિના દ્વાર ખુલશે.
મંગળકળશ: જમીનપર કંકૂથી અષ્ટદળ કમળની આકૃતિ બનાવીને તેના પર કળશ મુકવામાં આવે છે. એકકાંસ્ય, તામ્ર, રજત કે સુવર્ણ કળશમાં પાણી ભરીને તેમાં કેટલાક નાગરવેલનાપાન મુકીનેતેના મુખ પર નારિયળ મુકવામાં આવે છે. કળશ પર કંકુ, સ્વસ્તિકનુ નિશાનબનાવીને તેના કાંઠા પર નાડાછડી બાંધવામાં આવે છે.
શ્રીયંત્ર :ધનઅને વૈભવનુંપ્રતિક લક્ષ્મીજીનુ શ્રીયંત્ર આ સૌથી લોકપ્રિય શક્તિશાળી પ્રાચીન યંત્રછે દિવાળીના દિવસે તેની પૂજાકરવી જોઈએ.
કમળ અને ગેંદાના ફૂલ -કમળઅને ગેંદાના ફૂલને શાંતિ, સમૃદ્ધિ અને મુક્તિના પ્રતિક માનવામાં આવે છે.બધા દેવી-દેવતાઓની પૂજા ઉપરાંતઘરની સજાવટ માટે પણ ગેંદાના ફૂલની જરૂર પડેછે. ઘરની સુંદરતા, શાંતિ અને સમૃદ્ધિ માટે આ ખૂબ જ જરૂરી છે.
નૈવેદ્ય અને મીઠાઈ- લક્ષ્મીજીનેનૈવેદ્યમાં ફળ, મીઠાઈ, મેવા અને પેઠા ઉપરાંત ધાણી, પતાશા, સાકરિયા, શક્કરપારા, ઘૂઘરા વગેરેનો ભોગ લગાડવામાં આવે છે. નૈવેદ્ય અને મીઠાઈઓ આપણાજીવનમાં મીઠાશ કે મધુરતા ભેળવે છે.




No comments:

Post a Comment