Tuesday 31 January 2017

વસંત પંચમી


વસંત પંચમી

વસંત ઋતુ એટલે બધી રીતે સમાનતા. દિવસો દરમિયાન કડકડતી ઠંડી લાગતી નથી કે પરસેવો પાડનારો તાપ પણ હોતો નથી, દરેકને ગમે તેવી ઋતુ,
વસંત ઋતુ એક વેદકાલીન પર્વ છે. દિવસે બ્રાહ્મણો પોતાના બાળકોનો ઉપનયન સંસ્કાર કરી ઋષિ આશ્રમમાં પ્રવેશ આપતા. શિક્ષણક્ષેત્રે દિવસે સરસ્વતી પૂજન કરવામાં આવે છે.
ધાર્મિક સ્થળો અને દેવમંદિરોમાં વસંત પંચમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઋતુરાજ વસંતઋતુનું આગમન થતું હોવાથી મહા સુદ પાંચમના દિવસે વ્રત-ઉપાસનાનું આયોજન કરવામાં આવે છે. આજે ભગવાન વિષ્ણુની પૂજા તથા અન્ય દેવમંદિરોમાં ઇષ્ટદેવોની પૂજા અબીલ-ગુલાલ અને સુગંધી દ્રવ્યો વડે નીચે આપેલ શ્લોકમંત્ર બોલીને કરવામાં આવે છે:
શાન્તાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં
વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાઙ્ગમ્
લક્ષ્મીકાન્તં કમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યં
વન્દે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ્


વસંત પંચમીનું વ્રત માત્ર વ્રત નહિ પરંતુ વ્રત-પર્વ પણ છે. મહા સુદ પાંચમ તો પતિ-પત્નીનું મહાપર્વ કહેવાય. દિવસે કામદેવ અને રતિનું સુગંધિત પુષ્પો અને આંબાના મોરથી પૂજન કરવું. અન્યોન્ય પ્રેમની વૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરવી.

માઘી નવરાત્રી


માઘી નવરાત્રી

દેવીની નવધા શક્તિ જે સમયે મહાશક્તિનું સ્વરૂપ ધારણ કરે છે તે સમયને નવરાત્રી કહેવામાં આવે છે.
નવરાત્રી શક્તિની આરાધનાનું પર્વ છે. આપણે ત્યાં વર્ષમાં ચારવાર નવરાત્રી મનાવવામાં આવે છે. મહા અથવા માઘ માસની નવરાત્રી, ચૈત્રી નવરાત્રી, અષાઢી નવરાત્રી અને અશ્વિન અથવા આસો માસની નવરાત્રી. પરંતુ ચાર નવરાત્રીમાં ચૈત્રી નવરાત્રી અને અશ્વિની નવરાત્રી સૌથી વધુ પ્રખ્યાત છે. 

માઘ શુદ એકમથી માઘી નવરાત્રીનો શુભારંભ થાય છે, માઘ નવરાત્રી ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખાય છે. માઘી નવરાત્રિમાં શકિત ( મા જગદંબા )ની ઉપાસના કરવાનું મહાત્મય છે. 

Saturday 14 January 2017

ઉત્તરાયણ


ઉત્તરાયણ


ઉત્તરાયણને  શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે.
સંક્રાંતિ સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં થોડા સ્થાનિક ફેરફાર સાથે ઉત્સવ મનાવાય છે:
ઉતર ભારતમાં, હિમાચલ પ્રદેશ, પંજાબમાં- લોહડી અથવા લોહળી
પૂર્વ ભારતમાં
બિહાર સંક્રાંતિ, આસામ - ભોગાલી બિહુ, પશ્ચિમ બંગાળ મકરસંક્રાંતિ ઓરિસ્સા - મકરસંક્રાંતિ
પશ્ચિમ ભારતમાં
ગુજરાત અને રાજસ્થાન - ઉતરાયણ (ખીહર), મહારાષ્ટ્ર - संक्रान्त, સંક્રાન્ત
દક્ષિણ ભારતમાં
આંધ્ર પ્રદેશ - તેલુગુ, તામિલ નાડુ - પોંગલ, કર્ણાટક સંક્રાન્થી, સબરીમાલા મંદિરમાં મકર વલ્લાકુ

ભારતનાં અન્ય ભાગોમાં મકરસંક્રાંતિ

નેપાળમાં, થારૂ લોકોમાઘી, અન્ય લોકો- માઘ સંક્રાંતિ
થાઇલેન્ડમાં, ઉત્સવ - સોંગ્ક્રાન
લાઓસમાં, - પિ મા લાઓ
મ્યાન્મારમાં, - થિંગયાન

પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગશબ્દ વપરાયો છે. તુલસીદાસજીએ રામ ચરિત માનસમાં ભગવાન શ્રી રામના બાલ્યકાળનુ વર્ણન કરતા કહેવામાં આવ્યુ છે કે ભગવાન શ્રી રામે પણ પતંગ ઉડાવી  હતી. 

ચીનમાં મી સપ્ટેમ્બરે પતંગો ઉડાવાય છે.

જાપાનીઝ પણ મેં મહિનામાં પતંગોત્સવ ઉજવે છે અને દેવતાઓને પ્રસન્ન કરે છે .

આપણે તો માત્ર ચીલ , કાનદાર , ખંભાતી, ઢાલ  કે ફૂદ્દી એવી બે ચાર પ્રકારની પતંગો વિષે જાણતા હોઈશું પણ ખરેખર તો  વિશ્વમાં પતંગોના ૧૮૫ જેટલા પ્રકારો અસ્તિત્વમાં છે .