Friday 11 November 2016

પ્રબોધિની કે દેવઉઠી એકાદશી


પ્રબોધિની કે દેવઉઠી એકાદશી

પ્રભુ અષાઢ સુદ એકાદશીના દિવસે સુઈ જાય છે, અને ત્‍યારબાદ છેક ચાર મહિને તેઓને જગાડવામાં આવે છે. પ્રભુના જાગવાના દિવસને પ્રબોધિની કે દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. 

ભગવાન જયારે ચર્તુમાસ બાદ પ્રબોધિની એકાદશીને દિવસે જાગે છે ત્યારે માણસે તેને હિસાબ આપ્‍વાનો હોય છે કે તેણે ચારમાસ દરમ્‍યાન કેટલા સાત્‍વીક કાર્યો કર્યા અને અનિષ્‍ઠ તત્વોને છોડયા ! અહિં માનવની જાગૃતિનો ભાવાર્થ છે બૌધ્ધિક, આત્મિક અથવા તો માનસિક વિકાસ જો આ ત્રણ પસાઓનો સમતોલ રીતે વિકાસ થયો હોય તો વ્યક્તિને અજ્ઞાન આળસ અને અંધકારની કુંભકર્ણ નિંદ્રા સ્‍પર્શી શકે જ નહિ. આમ, પ્રબોધિની એકાદશી પાછળનો ઉદેશ અતિ પવિત્ર છે.

તુલસી વિવાહ

એક માન્યતા પ્રમાણે જલંધર નામનો મહાબળવાન રાક્ષસ-દાનવ થઇ ગયો એણે સ્વર્ગલોકનો કબજો કરી લીધો, એના થી થાકી જયારે દેવો વિષ્ણુ ભગવાન પાસે ગયા ત્યારે તેમણે તપોબળ ના આધારે જોયું તો જલંધર ની પત્ની સતી વૃંદાનું એક પતિવ્રત ભંગ થાય તોજ જલંધર નો નાશ થાય. 


Tuesday 1 November 2016

ભાઈ બીજ


Description: https://scontent.fbom1-1.fna.fbcdn.net/v/t1.0-9/12243385_1037718429611528_9056725784130956598_n.jpg?oh=0e84f5b486ffa6da857e3e72d811e63c&oe=58A314BBકાતિર્ક માસના શુકલ પક્ષની બીજ ભાઈ અને બહેનનો અખંડ પ્રેમ નું પ્રતિક એટલે ભાઈબીજ . જે રીતે બીજનો ચંદ્ર ત્‍યાગ, પુરુષાર્થ અને કર્તવ્‍યનું પાલન કરે છે તે રીતે જો ભાઈ-બહેન પણ આચરણ કરે તો બંનેના જીવન સુખમય વિતે આજ છે ભાઈબીજ પાછળનો મુખ્‍ય સંદેશ. 

આ જ દિવસે યુગાવતાર શ્રી કૃષ્‍ણો બહેન દ્રૌપ‍દીના ઘેર જમવા ગયેલ. દ્રૌપદીનું એક નામ કૃષ્‍ણા પણ હતું. સંકટ સમયે શ્રી કૃષ્‍ણે દ્રૌપદીના ચીર પૂરી ભાઈ તરીકેનું પોતાનું કર્તવ્‍ય નિભાવેલ. 

યમદિત્‍યા તરીકે પણ ઓળખાતી આ ભાઈબીજ પાછળ પ્‍ણ એક પૌરાણિક કથા છે. એક દિવસ યમુનાજીએ મૃત્‍યુના દેવ યમરાજને પોતાના ઘેર ભોજનનું નિમંણત્ર આપેલ. સ્‍વાદિષ્‍ટ ભોજનથી ખુબજ પ્રસન્‍નતા અનુભવતા યમરાજે બહેન યમુનાજીને મનપસંદ વરદાન માગવા જણાવ્‍યું. યમુનાજીને મનપસંદ વરદાન માગવા જણાવ્‍યું, યમુનાજીએ ભાઈ યમરાજ પાસેથી વચન માગ્‍યું કે તેણે દર વર્ષે આ જ દિવસે તેના ઘેર ભોજન માટે આવવું. ત્‍યારથી યમરાજ દર વર્ષે નિત્‍ય યમુનાજીના ઘેર ભોજન માટે જતા અને બહેન યમુનાજીના નિત્‍ય સુખની કામના કારતા.
આજે પણ ભાઈબીજ ના દિવસે બહેન , ભાઈ ને પોતાને ઘરે જમવા બોલાવે છે. 


આ દિવસે યમરાજ અને યમુનાજીની પુજાનું પણ મહ્ત્વ છે. ભાઈ-બહેન યમુના અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરીને આયુષ્ય તેમજ સૌભાગ્ય માટેની પ્રાર્થના કરે. 

પુજા માટેના મહત્વપૂર્ણ મંત્રો. 

યમ પુજા માટે- 
धर्मराज नमस्तुभ्यं नमस्ते यमुनाग्रज।
पाहि मां किंकरैः सार्धं सूर्यपुत्र नमोऽस्तु ते॥

યમરાજને અર્ધ્ય માટે - 
एह्योहि मार्तंडज पाशहस्त यमांतकालोकधरामेश।
भ्रातृद्वितीयाकृतदेवपूजां गृहाण चार्घ्यं भगवन्नमोऽस्तु ते॥

યમુના પુજા માટે- 
यमस्वसर्नमस्तेऽसु यमुने लोकपूजिते।
वरदा भव मे नित्यं सूर्यपुत्रि नमोऽस्तु ते॥

ચિત્રગુપ્તની પ્રાર્થના માટે- 
मसिभाजनसंयुक्तं ध्यायेत्तं च महाबलम्।
लेखनीपट्टिकाहस्तं चित्रगुप्तं नमाम्यहम्॥

ભાઈબીજના દિવસે ચિત્રગુપ્તની પુજાની સાથે સાથે પુસ્તકો, કલમ, ખડીયાની પણ પુજા કરવામાં આવે છે. યમરાજના આલેખક ચિત્રગુપ્તની પુજા કરતી વખતે એવું કહેવામાં આવે છે કે -લેખની પટ્ટિકાહસ્તં ચિત્રગુપ્ત નમામ્યહમ

Monday 31 October 2016

સાલ મુબારક

સાલ મુબારક 

કારતક સુદ એકમ, આ દિવસ હિંદુ વૈદિક પંચાગના 

વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો પહેલો 

દિવસ છે, આથી ભારતીય સંસ્કૃતિમાં ખાસ કરીને 

ગુજરાતમાં આ દિવસ નુતન વર્ષ તરીકે મનાવવામાં 

આવે છે. જેને 'બેસતુ વર્ષ' પણ કહેવામાં આવે છે.

લોકો એકબીજાને નૂતન વર્ષાભિનંદન કે નવ વર્ષની 

શુભેચ્છા પાઠવે છે.

લોકો એકબીજાને મીઠુ 'સબરસ'ના રૂપમાં આપે છે. જેનો 

મતલબ એ થાય છે કે મીઠાની જેમ તમારા જીવનમાં પણ બધા રસ કાયમ રહે.

મોટે ભાગે આ દિવસે જ 
ગોવર્ધન પૂજા પણ આવે છે, જેમાં ગાય તથા વાછરડાને જુદી જુદી રીતે શ્રૃંગારિત કરવામાં આવે છે. 

અન્નકૂટ પણ કરવામાં આવે છે, ભગવાનને જાત જાત ના પકવાન બનાવી ભોગ ધરવામાં આવેછે.

Sunday 30 October 2016

દિવાળી


દિવાળી
આસો વદ અમાસએટલે દિવાળી, વિક્રમસંવતનોઅંતિમદિવસ.દિવાળીનાશુભ દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ કે ઘરસજાવવા માટે શુભ અને દિવાળી પૂજાના પ્રતિક કયા છે.



દીપક -દિવાળીનીપૂજામાં ફક્ત માટીના દિવાનું મહત્વ છે.જેમા પાંચ તત્વ છે. માટી, આકાશ, જળ, અગ્નિ અને વાયુ, દરેક હિન્દુપૂજામાં પંચતત્વોની આ પાંચ તત્વોની હાજરી અનિવાર્ય હોય છે.
રંગોળી -ઉત્સવપર્વ અને અનેક માંગલિક પ્રસંગોમાં રંગોળી ઘર આંગણેકેઘરની વચ્ચે અને દરવાજાની સામે રંગોળી બનાવવામાં આવે છે.આ સજાવટ જ સમૃદ્ધિના દ્વારા ખોલે છે.
કૌડી -પીળારંગની કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. દિવાળીના દિવસેચાંદી અને તાંબાના સિક્કાની સાથે જ કૌડીની પૂજા પણ મહત્વની માનવામાં આવેછે. પૂજન થયા પછી એક એક પીળી કૌડીને જુદા જુદા લાલ કપડામાં બાંધીને ઘરમાઆવેલ તિજોરીમાં અને ખિસ્સામાંરાખવાથી ધન સમૃદ્ધિ વધે છે.
તાંબાના સિક્કા -તાંબાનાસિક્કામાં સાત્વિક લહેરો ઉત્પન્ન કરવાની ક્ષમતા અન્ય ધાતુઓની અપેક્ષા વધુહોય છે. કળશમાં ઉઠતી લહેરો વાતાવરણમાં પ્રવેશ કરે છે. જો કળશમાં તાંબાનાપૈસા નાખવામાં આવે તો તેનાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિના દ્વાર ખુલશે.
મંગળકળશ: જમીનપર કંકૂથી અષ્ટદળ કમળની આકૃતિ બનાવીને તેના પર કળશ મુકવામાં આવે છે. એકકાંસ્ય, તામ્ર, રજત કે સુવર્ણ કળશમાં પાણી ભરીને તેમાં કેટલાક નાગરવેલનાપાન મુકીનેતેના મુખ પર નારિયળ મુકવામાં આવે છે. કળશ પર કંકુ, સ્વસ્તિકનુ નિશાનબનાવીને તેના કાંઠા પર નાડાછડી બાંધવામાં આવે છે.
શ્રીયંત્ર :ધનઅને વૈભવનુંપ્રતિક લક્ષ્મીજીનુ શ્રીયંત્ર આ સૌથી લોકપ્રિય શક્તિશાળી પ્રાચીન યંત્રછે દિવાળીના દિવસે તેની પૂજાકરવી જોઈએ.
કમળ અને ગેંદાના ફૂલ -કમળઅને ગેંદાના ફૂલને શાંતિ, સમૃદ્ધિ અને મુક્તિના પ્રતિક માનવામાં આવે છે.બધા દેવી-દેવતાઓની પૂજા ઉપરાંતઘરની સજાવટ માટે પણ ગેંદાના ફૂલની જરૂર પડેછે. ઘરની સુંદરતા, શાંતિ અને સમૃદ્ધિ માટે આ ખૂબ જ જરૂરી છે.
નૈવેદ્ય અને મીઠાઈ- લક્ષ્મીજીનેનૈવેદ્યમાં ફળ, મીઠાઈ, મેવા અને પેઠા ઉપરાંત ધાણી, પતાશા, સાકરિયા, શક્કરપારા, ઘૂઘરા વગેરેનો ભોગ લગાડવામાં આવે છે. નૈવેદ્ય અને મીઠાઈઓ આપણાજીવનમાં મીઠાશ કે મધુરતા ભેળવે છે.




Saturday 29 October 2016

કાળી ચૌદશ


કાળી ચૌદશ
આસો વદ ચૌદશ એટલે કાળી ચૌદશ, એના બીજા નામ નરક ચતુર્દશી અને રૂપચૌદશ પણ છે. દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામનાં અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે.
ભાગવત અનુસાર આપણા દેહમાં ચૌદ સ્થળે વાસના રહે છે. પાંચ કર્મેનિદ્રયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, મન બુધ્ધિ, ચિત અને અહંકાર એને કશમાં અને વશમાં રાખવાનો સુંદર સંકેત કાળી ચૌદશ કરે છે.
દિવસે સવારે સ્નાન કરીને યમ તર્પણ અને સાંજના સમયે દીપ દાનનું ખૂબ મહત્વ છે. એવુ કહેવાય છે કે આનાથી મૃત્યુ પછી યમનો ભય નથી રહેતો. 
કાળી ચૌદશના દિવસે મહાકાળીનું પૂજન પણ કરાય છે. મહાકાળી આસુરી તત્વો, અનિષ્ટોને હણનારી છે.

આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે, એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ કાણા વાળા વડા અને પુરી, ઘર નજીકનાં ચાર રસ્તે મુકીને ઉતાર કાઢે છે.
  દિવસે તલ અથવા ચમેલીનું તેલ ચોળવાનો પણ રિવાજ છે. જેથી નર્કની પ્રાપ્તી નથી થતી તથા ભૂત-પ્રેત બાધા નડતી નથી એવું કહેવાય છે. કાળી ચૌદશના રાત્રીનાં આંજણ આંજવાની પણ પ્રણાલી છે. કહેવાય છે કે કાળી ચૌદશના આંજણ આંજવાથી આત્મવિશ્વાસ અને શક્તિ મળે છે.
કાળી ચૌદશએ મેલી વિદ્યાનાં સાધકોનો દિવસ છે, અને તેઓ એમ માને છે કે આજનાં દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે.
નેપાળી લોકો કાળી ચૌદશને શો (શો એટલે શ્વાન) પૂજા કહે છે, શ્વાનએ યમરાજા અને કાળ ભૈરવનું વાહન છે. ભાગ્યેજ કોઇ નેપાળી શ્વાન પાળે છે.