Friday 28 April 2017

અખા ત્રીજ

અખા ત્રીજ

વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ. આ દિવસ અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખાય છે, અક્ષય તિથિ અર્થાત કદી ક્ષય ન થનારી તિથિ. અખાત્રીજ સ્વયં સિદ્ધ મુહૂર્ત છે તેથી આ દિવસે વિવાહ, વેપાર પ્રારંભ, ગૃહ આરંભ વગેરે દરેક શુભકાર્ય નિર્વિઘ્ન કરી શકાય છે. તેથી જ આદિવસે સૌથી વધુ લગ્ન થાય છે.

શાસ્ત્રોક્ત મુજબ આ દિવસે જો કૃતિકા નત્રક્ષ હોય તો તે વિશેષ ફળદાયી હોય છે.આમ તો આ દિવસે નર-નારાયણ, હયગ્રીવ અને પરશુરામ આ ત્રણેનો અવતાર થયો હતો પરંતુ સૌથી વધારે પરશુરામ જયંતીનું વધારે મહત્વ છે. સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ પણ અખાત્રીજથી થયો હતો. મહાભારત નું યુદ્ધ પણ આજ દિવસે સમાપ્ત થયું હતું

પૌરાણિક કથા મુજબ ઋષિ જમદગ્નિ અને તેમના પત્ની રેણુકાને જે પ્રસાદ મળ્યો હતો તે બદલાઈ ગયો. જે પ્રસાદમાં ઉત્તમ બ્રાહ્મણ પુત્ર ઉત્પન્ન થવાનો હતો, તેનાથી વિશ્વામિત્રનો જન્મ થયો. પ્રસાદના પ્રભાવથી ક્ષત્રિયકુળમાં જ્ન્મ્યા હોવાથી વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ કહેવાયા. બીજા પ્રસાદમાં ઉત્તમ ક્ષત્રિય પુત્ર ઉત્પન્ન થવાનો ગુણ હતો તેનાથી પરશુરામનો જન્મ થયો. બ્રાહ્મણ કુળમાં જન્મ હોવા છતાં તેમનામાં ઉત્તમ ક્ષત્રિયના ગુણ હતા.

પરશુરામ ભગવાન વિષ્ણુના અંશાવતાર ગણાય છે. પરશુરામ શિવજીના પરમ ભક્ત હતા. તેમણે ભગવાન શિવજીને પ્રસન્ન કરી તેમણે બે વરદાન મેળવ્યાં હતાં. પહેલું ઈચ્છામૃત્યુ અને બીજું પરશુ [શસ્ત્ર] માંગ્યુ હતું. આ પરશુને કારણે તેઓ પરશુરામ કહેવાયા અને એને લીધે તેમનો કદી પરાજય થયો ન હતો. પરશુરામ અત્યંત પિતૃભક્ત હતા. પોતાના ક્રોધી સ્વભાવ અને પિતૃભક્તિને કારણે તેમણે પોતાની માતા રેણુકાનું માથું વાઢી નાખ્યું હતું. કહેવાય છે કે પરશુરામે પૃથ્વીને એકવીસવાર નિઃક્ષત્રિય કરી હતી.

આ દિવસથી બદ્રીનાથધામના દ્વાર ખૂલે છે અને ચારધામની યાત્રાની શરુઆત થાય છે. અખાત્રીજને દિવસે લક્ષ્મીની આરાધના થાય છે. આજના દિવસે લોકો સોનાની ખરીદી પણ કરતા હોય છે.

અક્ષય-તૃતીયાનાં દિવસે જગન્નાથજી મંદિર-જમાલપુર-અમદાવાદ ખાતે પરંપરાગત રીતે રથયાત્રાનાં દિવસે નીકળનારા ભગવાનનાં સમાર-નિર્માણ કાર્યનો આજથી પ્રારંભ થાય છે.

Monday 10 April 2017

હનુમાન જયંતી


હનુમાન જયંતી
હનુમાન જયંતી વિક્રમ સંવત/શક સંવત મુજબ ચૈત્ર સુદ પૂનમના રોજ મનાવવામાં આવે છે. શુભ દિવસને હનુમાનજીનો જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે.
હનુમાનજીની પરમ પુણ્યમયી માતા અંજના દેવી છે. પરંતુ તેશંકર સુવન” “વાયુપુત્રઅનેકેશરી નંદનપણ કહેવાય છે. અર્થાતશિવ-વાયુ-અને -કેશરી તેમના પિતા છે. રહસ્યને સ્પષ્ટ કરવા માટે અનેક કથાઓ પુરાણોમાં જોવા મળે છે, કલ્પ ભેદથી દરેક સત્ય છે.

હનુમાન શંકરનાં ૧૧મા અવતાર હતા. ભગવાન શંકરને શ્રી હરિ ખુબજ પ્રિય હતા, તેઓ જયારે શ્રી રામ સ્વરૂપે ધરતી પર અવતર્યા ત્યારે શંકર ભગવાન સ્વયં શ્રી હનુમાન સ્વરૂપે જન્મયા, જે સાત અમર મહાનુભાવો પૈકીનાં એક છે અને કળીયુગમાં હાજરા હજુર છે.

શ્રી હનુમાન એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્સદી, હનુમાન એટલે વકતૃત્વકળામાં નિપૂણ. હનુમાનજી વિદુત્રા, બુધ્ધિ, રાજનીતિ, માનસશાસ્ત્ર, તત્વસ્થાન, સાહિત્ વગેરે સર્વગુણોથી સં૫ન્ હતા.
બ્રહ્મચર્ય, માંગલ્ય, પાવિત્ર્ય અને ચારિત્ર્યની આદર્શ મૂર્તિ એટલે હનુમાન. શરીરબળ, મનોબળ અને બુદ્ધિબળ. ત્રણેયનો ત્રિવેણી સંગમ હનુમાનમાં જોવા મળે છે.

ઉત્તરકાંડમાં રામ હનુમાનને પ્રાજ્ઞ, ધીર, વીર, રાજનીતિજ્ઞ જેવા વિશેષણોથી સંબોધે છે, તે ઉપરથી તેની યોગ્યતા કલ્પી શકાય છે. હનુમાન જયારે સીતાની શોધ કરીને આવે છે ત્યારે રામ તેમને કહે છે, “હનુમાન..! તારા મારા પરના અનેક ઉપકારો છે. તેના માટે હું મારા એક એક પ્રાણ કાઢીને આપીશ છતાં ઓછા પડશે. તારો મારા પરનો પ્રેમ પાંચપ્રાણ કરતા પણ વિશેષ છે. તેથી હું તને માત્ર આલિંગન આપું છું.”

હનુમાનજીની બ્રહ્મચારી તરિકે ગણતરી થાય છે, તેમ છતાં તેમનો મકરધ્વજ નામે એક (પરોક્ષ) પૂત્ર હતો, મકરધ્વજ. હનુમાનજી લંકા દહન કરી જયારે સમુદ્રમાં કુદકો માર્યો ત્યારે એમના શરીર માંથી નીકળેલા પ્રસ્વેદ ને મકરી ગળી ગઈ અને જે પુત્ર પ્રાપ્તિ થઇ તે મકરધ્વજ.

Monday 3 April 2017

રામ નવમી


રામ નવમી
રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ. દશરથ રાજાએ પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો. દશરથને 'પાયસ' નું દાન આપ્યું. ખીરનો પ્રસાદ રાણીઓને આપવાથી તેમને પુત્રો થશે તેમ ઋષ્યશૃંગે જણાવ્યું. પ્રસાદનો અર્ધભાગ કૌશલ્યાને આપ્યો. બાકીના અર્ધા ભાગના બે ભાગ કર્યાને એક કૈકયીને આપ્યો. ત્યારબાદ બાકી રહેલાના બે ભાગ કરી કૌશલ્યા અને કૈકયી દ્વારા સુમિત્રાજીને અપાવ્યા.
ચૈત્ર સુદ નોમના રોજ કૌશલ્યાનીના ઉદરે રામચંદ્રનો જન્મ થયો. કૈકયીએ ભરતને અને સુમિત્રાએ લક્ષ્મણ-શત્રુઘ્નને જન્મ આપ્યો.
'રામ' શબ્દમાં , , - ત્રણ અક્ષરો છે. '' અગ્નિનું બીજ છે. તે શુભ-અશુભ કર્મને બાળી નાખે છે. '' સૂર્યનું બીજ છે. તે મોહાંધકારનો નાશ કરે છે અને જ્ઞાનનો પ્રકાશ કરે છે. '' ચંદ્રનું બીજ છે. તે ત્રિવિધ તાપ, આધિ, વ્યાધિ અને ઉપાધિને હરે છે. સર્વ પ્રકારના સંતાપને દૂર કરે છે. '' કાર બ્રહ્મમય છે, '' કાર વિષ્ણુમય છે. અને '' કાર શિવમય છે. રીતે 'રામનામ' બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સાક્ષાત સ્વરૂપ છે. 'રામનામ 'ઓમકાર' સમાન છે. ઓમકાર બ્રહ્મા છે. ઓમકાર આત્મારૂપ છે. ઓમકારની ઉપાસના વ્રતધારી માટે સાક્ષાત્કારનું સાધન છે.

સપ્તર્ષિઓએ રત્નાકર (વાલિયો લૂંટારા) ને 'રામનામ' નો મહિમા સમજાવ્યો અને ઉપદેશ આપ્યો કે તું રામનામનો જપ કર. તેના હ્રદયમાં રામનામની લગની લાગી ગઈ. તેના રોમ રોમમાંથી રામ' ને બદલે 'મરા...મરા...' નો જપ થઈ રહ્યો હતો, તો પણ મંત્રસિદ્ધિ થઈ. વાલ્મીકિનું 'મરા...મરા...' માનસી જપની પરાકાષ્ઠા હતું, તેમને તો રામનું સર્વવ્યાપી સ્વરૂપ પ્રત્યક્ષ થયું હતું, સાક્ષાત્કાર થયો હતો ! તેના શરીર પર માટાના રાફડા બંધાયા. સંસ્કૃતમાં રાફડાને 'વાલ્મીક' કહે છે, તેથી તેમનું નામ વાલ્મીકિ પડ્યું. 'રામ' ને બદલે 'મરા...મરા...' બોલનારો વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો !


પૃથ્વી પર રામ નામથી વધીને કોઇ પાઠ કે જપતપ નથી. રામ મંત્રનો રાજ છે. તેનાથી સહષા નામોનું ફળ મળે છે. રામ સર્વ તીર્થોનું ફળ કહેવાય છે. રામ બે અક્ષરનો મંત્ર સર્વ પાપનો નાશ કરનાર છે. મનુષ્ હરતાં-ફરતાં સૂતી વખતે પણ રામ નામનું સ્મરણ કરે તો શ્રીરામની કૃપાથી સુખી થાય છે.