Thursday 8 September 2016

યુગે યુગે ગણેશજી ના વાહનો



યુગે યુગે ગણેશજી ના વાહનો
એક કલ્પની અંદર ચાર યુગ વીતે છે આ ચાર યુગમાંનો પહેલો યુગ સતયુગ, બીજો યુગ દ્વાપરયુગ, ત્રીજો યુગ ત્રેતાયુગ તથા ચોથો યુગ ‌કલિયુગ છે.
ગણેશ પુરાણના ક્રીડાખંડમાં સિંહ, મયૂર, મૂષક અને ઘોડો શ્રીગણેશજીનાં વાહન જણાવાયાં છે.
* સતયુગમાં ગણેશજીનું વાહન સિંહ છે. તેઓ દસ ભુજાવાળા, તેજસ્વી સ્વરૂપ તથા વિનાયક નામથી પ્રસિદ્ધ છે.
* દ્વાપરયુગમાં શ્રીગણેશનું વાહન મૂષક છે. તેઓ ચાર ભુજાવાળા, વર્ણ લાલ તથા ગજાનન નામથી પ્રસિદ્ધ છે.
* ત્રેતાયુગમાં ગણપતિજીનું વાહન મયૂર છે. તેઓ છ ભુજાવાળા, શ્વેત વર્ણ તથા મયૂરેશ્વર નામથી પ્રસિદ્ધ છે.

* કળિયુગમાં ગણપતિજીનું વાહન ઘોડો છે. તેઓ બે ભુજાવાળા, ધૂમ્રવર્ણ તથા ધૂમ્રકેતુ નામથી પ્રસિદ્ધ છે.

No comments:

Post a Comment