Sunday 21 August 2016

નાગ પંચમી



નાગ પંચમીનું મહત્વ:

આપણી સંસ્કૃતિમાં દર વર્ષે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષ પંચમી નાગપૂજા કરવામાં આવે છે જેને સામાન્ય ભાષામાં નાગ પંચમી કહેવામાં આવે છે. શ્રાવણ માસની કૃષ્ણ પંચમીને નાગપંચમી કહેવા પાછળ પૌરાણિક કથા આપ્રમાણે છે.
એક વાર માતૃ-શ્રાપથી નાગલોક બળવા લાગ્યો, ત્યારે નાગોની દાહ-પીડા શ્રાવણ કૃષ્ણ પંચમીના દિવસે શાંત થઈ હતી. કારણે નાગ પંચમી પર્વ વિખ્યાત થઈ ગયું છે. પ્રાચીન સમયમાં જન્મેજય દ્વારા નાગોને નષ્ટ કરવા માટે કરવામાં આવેલ યજ્ઞથી જ્યારે નાગ-જાતિનું સમાપ્ત થઈ જવાનું સંકટ ઊભુ થયું, ત્યારે શ્રાવણ કૃષ્ણ-પંચમીના દિવસે તપસ્વી જરત્કારુના પુત્ર આસ્તીકે તેમની રક્ષા કરી હતી. કારણે પણ નાગ પંચમી પર્વ વિખ્યાત થઈ ગયું છે.
નાગ પંચમીના દિવસે શું કરશો ?
સૌભાગ્યવતી સ્ત્રીઓએ ઘરમાં પાણીયારાની પાસે કંકુથી સર્પનું ચિત્ર દોરવું અને યથા શક્તિ પૂજન કરવું.  પૂજનમાં કુલેરનો લાડુ, મગ, બાજરી, મઠ અને દૂધ પ્રસાદ તરીકે અર્પણ કરવું. નાગ દેવતા પાસે કુટુંબના સભ્યોના લાંબા આયુષ્ય અને આરોગ્ય માટે પ્રાર્થના કરવી. પૂજન થયા બાદ ઘરના તમામ સભ્યોએ નાગ દેવતાના દર્શન કરવા અને પ્રસાદ લેવો.

નાગ પંચમી પર નિષેધ કાર્યો:
શાસ્ત્રો મુજબ નાગ પંચમી પર વાતાવરણમાં દેવતાઓના પવિત્ર ચૈતન્યના અતિસૂક્ષ્મ કણ ભૂમિ પર આવે છે. દિવસે નિષેધ કાર્ય કરવાથી રજ તમ પ્રધાન જાગૃત થઈ જાય છે.   સ્પન્દન  દેવતાઓના તત્વ કાર્યમાં બાધા બની જાય છે. આથી વાતાવરણ અપવિત્ર થાય છે. નાગ પંચમી પર નિષેધ કાર્યો કરતા સમિષ્ટ પાપના ભાગી બને છે. 

નાગ પંચમી પર ઘણા કાર્યોને નિષેધ જણાવ્યા છે જેમ કે કપડા સીવવા, ધરતીને ખોદવી અને હળ ચલાવવું, ખાવાની વસ્તુઓ તળવી, ચૂલ્હા પર તવો મુકવો, કાપવું કે સમારવું.

No comments:

Post a Comment