Friday 8 January 2021

સફલા એકાદશી – માગશર વદ / કૃષ્ણ પક્ષ:


સફલા એકાદશી – માગશર વદ / કૃષ્ણ પક્ષ:

જેનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા:માગશરના કૃષ્‍ણપક્ષમાં સફલા નામની સુખ આપનારી અને પાપોનો નાશ કરનારી ઉત્તમ એકાદશી આવે છે.


એકાદશી ની કથા:

ચંપાવતી નામનું એક વિખ્યાત નગર કે જે રાજા મહિષમાન ની રાજધાની હતી રાજર્ષિ મહિષમાનને ચાર પુત્રો હતા. એમાં જે મોટો પુત્ર  હતો તે સદાય પાપ કર્મમાં જ રત રહેતો હતો. પરસ્ત્રીગામી, અને વૈશ્યાસકત હતો. એણે પોતાના પિતાના ધનનો પાપ કર્મમાં જ ખર્ચ કર્યો હતો. એ હંમેશા દુરાચાર પરાયણ અને બ્રાહ્મણો, વૈષ્ણવો અને દેવતાઓનો નિંદક હતો. પોતાના પુત્રને આવો પાપાચારી જોઇને રાજા મહિષમાને રાજકુમારોમાં એનું નામ લુંમ્પક રાખી દીધુ પછી પિતા અને ભાઇઓએ મળીને એને રાજયમાંથી બહાર કાઢી મૂકયો.

લુંમ્પક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો, નિયમિત માંસ અને ફળ ખાઈ ને જિંદગી ગુજારતો. દિવસે વન માં રહેતો અને રાત્રી માં  પિતા ના નગર માં ચોરી કરવાનું શરૂ કર્યું , નગર માં નિવાસીઓને  મારતો અને કષ્ટ આપતો થોડા દિવસ માં તો એણે આખી નગરી ને  પરેશાન કરી દીધી .એને પહેરેદારો પકડતા પણ પછી રાજા ના ડર થી છોડી દેતા.

આ વનમાં ઘણા વર્ષોનું જૂનું પીપળાનું એક વૃક્ષ હતું એ વૃક્ષ એક મહાન દેવ માનવામાં આવતું હતું. પાપ બુદ્ધિ લુંમ્પક ત્યાંજ રહેતો હતો.

માગશર માસના કૃષ્ણ પક્ષની દસમીના દિવસે પાપી લુંમ્પક શારીરિક નબળાઈ અને થકાવટને કારણે કોઈ પશુનો વધ કર્યો નહતો અને વસ્ત્રહીન હોવાને કારણે રાત ભર ઠંડીમાં ઠુંઠવાતો રહ્યો. આથી એ સમય એને ઉંઘ ન આવી કે ન આરામ મળ્યો. એ નિષ્પ્રાણ જેવો થઇ ગયો. સૂર્યોદય થવા છતાં એ ભાનમાં ન અને બીજે દિવસે એકાદશીને દિવસે બપોરે તેને ભાન આવ્યું, ત્યારે કેટલાક ફળ શોધી લાવ્યો ત્યાં સુધીમાં સૂર્યાસ્ત થઇ ગયો હતો. ત્યારે એ પીપળાને ફળ અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય. આમ એના દ્વારા અનાયાસે સફલા એકાદશીના વ્રતનું પાલન થઇ ગયું 

 

એ મહાપાપી ના વ્રત તથા જાગરણ થી ભગવાન અત્યંત પ્રસન્ન થયા એના સમસ્ત પાપ નષ્ટ થઇ ગયા .પ્રાતઃકાલ થતા જ એક દિવ્ય રથ અનેક સુંદર વસ્તુઓ થી શણગારેલો આવ્યો અને તેની સામે ઉભો રહ્યો .એ સમયે આકાશવાણી થઇ કે” હે રાજ પુત્ર !ભગવાન નારાયણ ના પ્રભાવ થી તારા સમસ્ત પાપ નષ્ટ થઇ ગયા છે .હવે તું તારા પિતા ની પાસે જઈ ને રાજ્ય પ્રાપ્ત કર .” લુંમ્પકે આવી આકાશવાણી સાંભળી નેઅત્યંત પ્રસન્ન થયો એણે વરદાન સ્‍વીકારી લીધું. ત્‍યાર પછી એનું રુપ દિવ્‍ય થઇ ગયું અને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્‍ણુંના ભજનમાં લાગી ગઇ. દિવ્‍ય આભુષણોની શોભાની સંપન્‍ન થઇને તેણે પિતા  પાસે જઈ સંપૂર્ણ કથા સંભળાવી. પિતા પોતાનો રાજ્યભાર તેને સોંપીને વન માં ગયા, એણે નિષ્‍કંટક રાજય પ્રાપ્‍ત કર્યું અને હવે લુંમ્પક શાસ્ત્ર અનુસાર રાજ્ય કરવા લાગ્યો. તેની સ્ત્રી, પુત્ર આદિ પણ નારાયણ ના પરમ ભક્ત બની ગયા. પંદર વર્ષ સુધી એ રાજય કરતો રહ્યો, એ સમયે ભગવાન શ્રીકૃષ્‍ણની કૃપાથી એને મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્‍તી થઇ. વૃદ્ધાવસ્થા આવવાથી તે પોતાના પુત્ર ને ગાદી સોંપી ભગવાન નું ભજન કરવા માટે વનમાં ચાલ્યો ગયો અને અંતમાં પરમ પદ ને પ્રાપ્ત થયો. 

 

ભગવાન વિષ્ણુને તલ અવશ્ય ધરાવવો.

પુષ્ટિમાર્ગીય માહાત્મ્ય અને ભાવના:

વ્રજબાળાઓએ પ્રભુમાં અનન્ય ભાવ રાખ્યો હતો, પ્રભુને પ્રાપ્ત કરી તેમના સ્વરૂપાનંદ સિવાય બીજા કશામાં રસ ન હતો. આ જ ભાવનાથી તેમણે કાત્યાયની વ્રત કર્યું અને છેવટે માગશર વદ એકાદશીએ તેમની ઈચ્છા પૂર્ણ થઈ. આ માટે માગશર વદ એકાદશીને સફલા એકાદશી કહેવાય છે.

મર્યાદામાર્ગીય ભાવના:

ભગવાન શ્રી કૃષ્ણ ની કૃપા અને સામર્થ્યથી મહાભારતના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરીને આ એકાદશીના દિવસે અર્જુને પીપળાના વૃક્ષ નીચે વિશ્રામ લઈ શાંતિ-સંતોષ અને સફળતાનો આનંદ માણ્યો હતો, આથી આ એકાદશીને 'સફલા એકાદશી' કહે છે.

 

આરતી:

જય જય સફલા માતા ,જય જય સફલા માતા

માગશર માસ માં મળતી ,કૃષ્ણ પક્ષ માં ફળતી ……મા….(૨)

સફલ જીવન કરનારી ,તું છે પરમ દાતા …..જય જય સફલા માતા

લુંમ્પક ને તમે તર્યો ,એનો અહમ માર્યો …………….મા ..(૨)

પરમ પદ દેનારી ,તું એવી માતા ………જય જય સફલા માતા

સર્વે દુઃખો ને ટાળ્યા ,સર્વે પાપો ને તેં બાળ્યા…મા (૨)

અતિ સુખદાયી ,તું જ ગીત ગાતા ………………………..જય જય સફલા માતા

કર્મ તારે આંગણે ફળતા ,ધર્મ તારે આંગણે મળતા …મા …(૨)

દરેક રહસ્ય ખુલ્લું ,હે દેવી તમે કરતા …જય જય સફલા માતા

 


No comments:

Post a Comment