Saturday 11 March 2017

હોળી-ધૂળેટી તહેવાર:


હોળી-ધૂળેટી તહેવાર:

હોળી બે દિવસ નો તહેવાર છે, ફાગણ સુદ પૂનમ-હોળીકા દહન, ફાગણ વદ એકમ-ધૂળેટી.

હિરણ્યકશિપુ તેનો પૂત્રપ્રહલાદ અને બહેન હોલિકાની પુરાણીક કથા તો ઘણી જાણીતી છે, અહીં આપણે ભગવાન શ્રી કૃષ્ણ ના વ્રજધામ અને વૈષ્ણવો હોળી ઉત્સવ કેવી રીતે ઉજવે છે તેની વાત કરીશું.

વ્રજના સર્વ ઉત્સવોમાં બે ઉત્સવ (ઉત્સવ નો અર્થ જોવા જઇએ તો રીતે છે. =ઉમંગ
ત્સવ=ઉછાળવું, જે ઉમંગો ઉછાળે છે તે ઉત્સવો.) સૌથી મોટા છેં - ()હોળી           ()દિવાળી

દોલોત્સવ:

ડોલ (દોલ શબ્દનુ અપભ્રંશ થઇ જતાં ડોલ શબ્દ બન્યો) ની વધાઇ ચોર્યાશી કોસ ના વ્રજમાં ચાલીસ દિવસ પહેલા આપી દેવાય છે અને હોળી પૂરેપૂરા સત્તર દિવસ ઊજવવા માં આવે છે. હોળી બાદ વ્રજમાં જુદા જુદા દિવસે, જુદાજુદા સ્થળોએ ફૂલદોલનો આનંદ મેળવવામાં આવે છે. વૃક્ષોની ડાળી પર દોરડાથી બનાવેલા ઝૂલાઓ પર ફૂલપાનથી ગૂંથણી કરવામાં આવે છે. શ્રી વલ્લભબાલકો અને વૈષ્ણવો શ્રી ઠાકોરજીને ઝૂલાઓ પર ઝૂલાવે છે અને હોળીના રંગો ની માફક ફૂલની પાંદડી એકબીજા પર ઉડાડી સાથે આનંદ માણે છે અને ફૂલડોલનાં ઉત્સવ દરમ્યાંન મેળાઓ ભરાય છે. પુષ્ટિમાર્ગિય હવેલીઓમાં ફાગણવદ એકમે, ફાગણવદ અગિયારસ ને દિવસે માનસરોવર અને રાધારાણીના મંદિરે, ચૈત્ર સુદ છઠ્ઠના દિવસે વિશ્રામઘાટ પર, ઉત્સવ ઉજવાય છે.

વર્ષમા એકવાર વ્રજભક્તો  શ્રી પ્રભુ ને પોતાના સમાન માને છે અને પોતાના સમાન માનવાથી હ્રદયમાં સખ્યભાવ ઉત્પન્ન થાય છે. આથી સખ્યસમયદરમ્યાન  તેઓ ઠાકોરજી સાથે ચંદન, કેસરના રંગથી વ્રજભક્તો પ્રભુ સાથે ખેલે છે. ખેલ વખતે પ્રભુના ચરણારવિંદ ને ઢાંકી દેવાય છે કારણ કે જો વ્રજભક્તો ચરણારવિંદ ના દર્શન કરી લે તો મનમાં દાસ્યભાવ આવી જાય છે તેથી ખેલ વખતે સખ્યભાવ આગળ રહે તેનું ધ્યાન રખાય છે.

દરેક રંગ ના જુદા જુદા ભાવ છે.
કેસરી રંગ શ્રી સ્વામિનીજી નો ભાવ છે.
શ્વેત રંગ શ્રી ઋષિરુપા સખીઓ નો ભાવ છે.
ગુલાલ નો લાલ રંગ શ્રી ચંદ્રાવલિજી નો ભાવ છે.
શ્યામ રંગ નો ચુવો શ્રી યમુનાજી નો ભાવ છે.


પુષ્ટિમાર્ગીય મંદિરોમાં પૂરો એક મહિનો  ધ્રુપદ-ધમાર-રસિયા ગવાય છે.ઝાંઝ,ડફ,મૃદંગ,પખવાજ,તુરી,થાળી વગેરે વાગે છે અને તન અને મન રંગાઇ જાય છેં. જેમ દિવસો જાય તેમતેમ ક્રમશઃ હોળી ખેલ વધતો જાય છે.

No comments:

Post a Comment